Gujarati News (ગુજરાતી સમાચાર)કૉલમ: પર્વની પાઠશાળા (Parv Ni Pathshala)ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

મહા કુંભ મેળો 2025 તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | Amazing Unknown Facts about Maha Kumbh Mela Stories 1

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

મહા કુંભ મેળો તારીખ | Maha Kumbh Mela Date

મહા કુંભ મેળો: ગુરુનો મકર રાશિમાં પ્રવેશ અને સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાય છે ‘કુંભ મેળો’. જે 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે. આજે પર્વની પાઠશાળામાં આપણે કુંભ મેળો અને તેની વિશેષતાઓ તથા ધાર્મિક મહત્વ, ઇતિહાસ અને પૌરાણિક કથા વિષેની ચર્ચા કરીશું. 

મહા કુંભ મેળો Maha Kumbh Mela

કુંભ મેળો એટલે શું?

સામાન્ય રીતે કુંભ મેળો એ બાર વર્ષે એક સ્થળ પર યોજાય છે પરંતુ દર ત્રણ વર્ષે ભારતમાં ચાર વિવિધ સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે પવિત્ર નદીઓને કાંઠે ઉજવાય છે. કુંભ મેળાનું આયોજન નિશ્ચિત ગ્રહ અને સુર્યના રાશિ પ્રવેશને આધારે થાય છે. આપણા પુરાણો અનુસાર જ્યારે સુર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે ગુરુ અને સુર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે સુર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્ર્યંબકેશ્વર ખાતે કુંભ મેળો યોજાય છે જેને સિંહસ્થ પણ કહેવામાં આવે છે અને જ્યારે સુર્ય મેષ અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે.

આ કુંભ મેળામાં લાખો અને કરોડોની સંખ્યામાં સાધુઓ, સંતો, અઘોરી બાવાઓ અને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પધારે છે અને પવિત્ર શાહી સ્નાન કરે છે. આ ઉપરાંત સાધુઓ સંપૂર્ણ કુંભ મેળા દરમિયાન ત્યાંજ રહીને સાધના પણ કરે છે જેને ‘કલ્પવાસ’ કહેવાય છે અને કલ્પવાસ કરનાર ‘કલ્પવાસી’ તરીકે ઓળખાય છે. કુંભ મેળો, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ એમ ચાર પ્રકારે મેળાઓ યોજાય છે. જેમાં દરેકની અલગ વિશેષતાઓ હોય છે. 

આ પણ વાંચો: શું તમે જાણો છો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને અલગ છે? | Must Know Uttarayan and Makar Sankranti Facts! | Best of 2025

મહા કુંભ મેળો 2025 | Maha Kumbh Mela 2025

હાલમાં પ્રયાગરાજ ખાતે યોજાવનાર મેળો ‘મહા કુંભ’ મેળો છે. મહા કુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ મેળા પછી થાય છે. માટે આ વર્ષે પ્રયાગરાજે યોજાવનાર કુંભ એમ 144 વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભ છે તેથી તેણે ‘મહા કુંભ’ કહેવાય છે. 144 વર્ષે યોજાતા મહાકુંભ ને દેવો અને મનુષ્યોનો સંયુક્ત પર્વ કહેવાય છે. જેમાં સૌ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમી સ્નાન કરશે. ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકુંભ વખતે પવિત્ર નદીઓમાં કે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિ પાપ મુક્ત બને છે અને આત્મા ને મુક્તિ મળે છે. મહાકુંભ માં પાંચ પ્રમુખ સ્નાન પર્વ અને ત્રણ રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને દ્વિતીય શાહી સ્નાન મકર સંક્રાંતિ એ થાય છે. 

કુંભ મેળાની પૌરાણિક કથા | Kumbh Mela Story

હવે કુંભ મેળા પાછળની પૌરાણિક કથાની જો વાત કરીએ તો સમુદ્ર મંથન વખતે ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર લઈ પીઠ પર મંદ્રાચલ પર્વત ધારણ કરી સમુદ્રમાં બેઠા. વાસુકિ નાગની રસી બનાવી સૌ દેવો અને અસૂરોએ મંથન કરવાનું શરૂ કર્યું. ત્યારે સમુદ્ર મંથન થકી ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થાય. આ અમૃત મેળવવા માટે દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ થયો. અમૃતના એ કુંભની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની અવતાર ધારણ કરીને કુંભને ગ્રહણ કર્યો. અસૂરોથી અમૃતને બચાવવાના પ્રયત્ન દરમિયાન અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પ્રયાગ, ઉજ્જૈન, ત્ર્યંબક અને હરિદ્વાર એમ ચાર અલગ અલગ સ્થળો એ ગ્રહો અને સુર્યની નિશ્ચિત સ્થિતિએ પડ્યા.

દેવો અને અસૂરો વચ્ચેનો એ યુદ્ધ 12 દિવસ ચાલ્યું હતું. દેવોનો એક દિવસ મનુષ્યોના એક વર્ષ બરાબર હોય છે માટે દેવોના બાર દિવસ અને મનુષ્યોના બાર વર્ષના સમયગાળા પ્રમાણે કુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે થાય છે. કુંભ મેળાની માહિતી અને ઇતિહાસ આપણા પૌરાણિક ગ્રંથો સિવાય અન્ય વિશ્વના અન્ય ઐતિહાસિક પુસ્તકોમાં પણ જોવા મળે છે. પોષી પૂનમથી મહા શિવરાત્રી સુધી ચાલનારા આ મહાકુંભ મેળા વિષેની અન્ય રોચક વાતો અને આવનાર પવિત્ર સ્નાનને લગતી વિશેષ વાતો આપણે પર્વની પાઠશાળાના આગામી લેખમાં કરતા રહીશું.   


સુપરહિટ ભક્તિ ગીતો | Famous Devotional Songs, Mantra, Dhun

Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.


અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu
અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ શું છે? | કુંભ મેળાનો ઇતિહાસ | What is Ardh Kumbh, Purn Kumbh and Maha Kumbh?
નાગા સાધુઓનું રહસ્ય, પ્રક્રિયા, ઇતિહાસ અને અખાડા | The Origin of Naga Sadhu
મૌની અમાસ, વસંત પંચમી, મહા કુંભ સ્નાન, તારીખ, મહત્વ અને રોચક વાતો | Mauni Amavasya, Vasant Panchami and Shahi Snan, Date and Significance

કુંભ મેળાનો ઇતિહાસ શું છે?

સમુદ્ર મંથન વખતે ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા. આ અમૃત મેળવવા માટે દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ થયો. અમૃતના એ કુંભની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની અવતાર ધારણ કરીને કુંભને ગ્રહણ કર્યો. અસૂરોથી અમૃતને બચાવવાના પ્રયત્ન દરમિયાન અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પ્રયાગ, ઉજ્જૈન, ત્ર્યંબક અને હરિદ્વાર એમ ચાર અલગ અલગ સ્થળો એ ગ્રહો અને સુર્યની નિશ્ચિત સ્થિતિએ પડ્યા. જ્યાં જ્યાં એ ટીપાં પડ્યા ત્યાં નિશ્ચિત સમયે કુંભ મેળાનો આયોજન થાય છે.

કુંભ મેળો ક્યારે થાય છે?

કુંભ મેળાનું આયોજન નિશ્ચિત ગ્રહ અને સુર્યના રાશિ પ્રવેશને આધારે થાય છે. આપણા પુરાણો અનુસાર જ્યારે સુર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે ગુરુ અને સુર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે સુર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્ર્યંબકેશ્વર ખાતે કુંભ મેળો યોજાય છે જેને સિંહસ્થ પણ કહેવામાં આવે છે અને જ્યારે સુર્ય મેષ અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે.

કુંભ મેળો બાર વર્ષે કેમ યોજાય છે?

સમુદ્ર મંથન વખતે અમૃત કળશ માટે થયેલો દેવો અને અસૂરો વચ્ચેનો એ યુદ્ધ 12 દિવસ ચાલ્યું હતું. દેવોનો એક દિવસ મનુષ્યોના એક વર્ષ બરાબર હોય છે માટે દેવોના બાર દિવસ અને મનુષ્યોના બાર વર્ષના સમયગાળા પ્રમાણે કુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે થાય છે.

કુંભ મેળો ક્યાં થાય છે?

સામાન્ય રીતે કુંભ મેળો એ બાર વર્ષે એક સ્થળ પર યોજાય છે પરંતુ દર ત્રણ વર્ષે ભારતમાં ચાર વિવિધ સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે પવિત્ર નદીઓને કાંઠે ઉજવાય છે.

મહા કુંભ કેટલા વર્ષે આવે છે?

મહા કુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ મેળા પછી થાય છે. એમ 144 વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભને ‘મહા કુંભ’ કહેવાય છે.

મહા કુંભ સ્નાન ક્યારે છે?

મહાકુંભ માં પાંચ પ્રમુખ સ્નાન પર્વ અને ત્રણ રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને દ્વિતીય શાહી સ્નાન મકર સંક્રાંતિ એ થાય છે. 

કુંભ મેળાનો શાહી સ્નાન શું છે?

કુંભ મેળામાં પવિત્ર નદીએ કરતાં સ્નાન ને કુંભ મેળાનો શાહી સ્નાન કહેવાય છે.

નાસિક કુંભ મેળો ક્યારે છે?

નાસિકમાં આગામી કુંભ મેળો વર્ષ 2027 માં થશે.

ઉજ્જૈન કુંભ મેળો ક્યારે છે?

ઉજ્જૈનમાં ગત કુંભ મેળો વર્ષ 2016 માં થયો હતો અને આવનાર કુંભ મેળો વર્ષ 2028 માં થશે.

પ્રયાગરાજ કુંભ મેળો ક્યારે છે?

પ્રયાગરાજ નો ‘મહા કુંભ મેળો’ 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે.

કુંભ મેળા કેટલા પ્રકારના હોય છે?

કુંભ મેળો, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહા કુંભ એમ ચાર પ્રકારે મેળાઓ યોજાય છે. જેમાં દરેકની અલગ વિશેષતાઓ હોય છે. 

મહા કુંભ ક્યારે છે?

‘મહા કુંભ મેળો’ 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી, મહા શિવરાત્રીએ સમાપ્ત થાય છે.

Gujarati Mijaaj Content Desk

Gujarati Mijaaj Content Desk is a dynamic team of writers and authors dedicated to capturing the pulse of entertainment, health, and indie music news in Gujarati language. Our global team delivers the latest scoops and insider insights, weaving captivating tales of stardom and uncovering stories often left untold.